સેવા સમર્પણ સદભાવના
શ્રી અડતાલીસ ક.પા.સમાજ - સુરત શહેર ની વેબસાઈટ માં આપનું હાર્દિક સ્વાગત છે
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ એટલે સુરત શહેરમાં વસતા "૪૦૦ કુટુંબોનુ" એક જ વિશાળ પરિવાર. આ શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ એટલે સૌને સાથે રાખી સૌ સભ્યોનો સર્વાંગી વિકાસ. આ સમાજની વિશિષ્ઠતા એ છે કે અન્ય કડવા પાટીદારો માટે આ " પ્રેરણા મૂર્તિ" છે. આ સમાજની સ્થાપના૧૪-૧- ૧૯૯૫ માં સુરત શહેરમાં એક નાના બીજ સ્વરૂપે થઇ હતી, જે આજે એક વિશાળ વટ વૃક્ષ બની ગયું છે, જેની છત્ર-છાયામાં "૮૦૦ " જેટલી જન સંખ્યા "હાશ" અનુભવી રહી છે.
બદલાતા જતા સમયની સાથે તાલ મિલાવવા સમાજના દૂરંદેશી નેતૃત્વે "બીડું" ઝડપી ને વિશાળ, સોહામણું અને જાજરમાન "પાટીદાર પરિવાર" નું નિર્માણ થયું. ભવ્ય સંકુલના નિર્માણમાં દિલદાર દાનવીરોનું "દાન" વિચક્ષણ નેતૃત્વની "અગમ-દ્રષ્ટિ" અને "હિંમત" સમાજના વિશાળ પરિવારનો "પ્રેમ" મિત્રો, સ્નેહીઓ અને હિતેચ્છુઓની "હૂંફ" અને વાત્સલ્યની મૂર્તિ મા ઉમિયાના "આશીર્વાદથી" અંધારી રાતે પણ અજવાળું થાય તેવી તમામ સુખ- સગવડ સાથેનું સોહામણું સંકુલ અસ્તિત્વમાં આવ્યું.
No comments:
Post a Comment