નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

૪૮ કડવા પાટીદાર સમાજ ના ગામો

૪૮ કડવા પાટીદાર


૪૮ કડવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજનો એક સમુહ છે. જે અમદાવાદની નજીક આવેલા માંડલ વિસ્તારનાં ૪૮ ગામોનો બનેલો છે. પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા પાટીદાર સમાજના લોકોએ અમુક ગામોમાં જ વહેવાર કરવો એવો સર્વસંમત નિયમ બનાવી આ ૪૮ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરી હતી. આ સમાજને ગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સામાજીક વ્યવસ્થા છે. આજે પણ આ વ્યવસ્થા પ્રમાણે જ મોટેભાગે અને સ્વયંભૂ રીતે લોકો પોતાના લગ્ન વહેવારો ગોઠવતા જોવા મળે છે અને આ સમાજને વઢીયાર સમાજ પણ કહેવામાં આવે છે.
Share:

No comments:

POPULAR