નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

જગતજનની ”મા ઉમિયા”નું પ્રાગટ્ય

સેવા સમર્પણ સદભાવના

જગતજનની ”મા ઉમિયા”નું પ્રાગટ્ય

ઊંઝા ગામે મંદિરમાં માતાની પૌરાણિક મૂર્તિ છે. કહેવાય છે કે મા ઉમિયા એ પાર્વતીનું જ સ્વરૂપ છે. અહીંયાં તેમને ‘કડવેશ્વરી ભગવતી ઉમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે .નંદી પર સવારી કરતા ”મા ઉમિયામાતા” કડવા પાટીદારની (પટેલોની) કુળદેવી પણ છે. દંતકથા પ્રમાણે જ્યારે શ્રી વિષ્ણુએ સતીના 52 ટુકડા કર્યા હતા અને એ ટુકડા (અંગ) જ્યાં જ્યાં પડયા ત્યાં શક્તિપીઠની રચના થઈ. દરેક શક્તિપીઠે ‘મા’ નું એક અંગ પૂજાય છે પણ અહીં ઊંઝા ગામે ”મા ઉમિયા” અખંડ સ્વરૂપે પ્રગટ થયા છે. લોકવાયકા પ્રમાણે એવું પણ કહે છે કે “મા ઉમિયા” મોલ્લોતોના જુના ઘરમાં પ્રાગટ્ય થયું હતું. મોલ્લોતોના ગોખમાં માતાજીનું જૂનું પ્રાચીન મંદિર છે. પછી અત્યારે જ્યાં મંદિર છે ત્યાં મોલ્લોતોમાંથી માતાજીની જ્યોત લાવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
જ્યાં શિવજી છે ત્યાં ઉમા છે અને જ્યાં ઉમા છે ત્યાં શિવજી છે. સૃષ્ટિનું પરમ સત્ય છે જ્યાં શિવજી છે ત્યાં કૈલાસ છે અને જ્યાં કૈલાસ છે ત્યાં માનસરોવરનું હોવું એક સુખદ સહયોગ છે . શ્રી ઉમિયામાતાના મંદિરના પ્રાંગણમાં પૂર્વસ્થાને આવેલા આધુનિક માનસરોવર ખૂબ જ સુંદર અને શાંત જગ્યા છે. અહીં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને માનસરોવરની મધ્યમાં નવગ્રહોની સુંદર શિલ્પકારી મૂર્તિઓ બિરાજેલી છે. આ મૂર્તિઓ પર ફુવારા વાટે માનસરોવરના શીતળ જળથી અભિષેક થતો રહે છે અને એ જળ છેક ગંગેશ્વર મહાદેવના મંદિર સુધી પહોંચે છે. માતાજીના પવિત્ર સ્થાનકે વિવિધ ઉત્સવો ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જેમ કે, બેસતું વર્ષ, માગસર સુદ આઠમે અન્નકૂટ ઉત્સવ, વસંત પંચમી, અને ખાસ કરીને નવરાત્રીના તહેવારો ખૂબ જ જોર શોરથી ઉજવાય છે. વૈશાખી પૂર્ણિમાનો દિવસ એ માતાજીના પ્રાગટ્યનો દિવસ છે એટલે મંદિરમાં હવન થાય છે અને ચાંદીના રથ પર સવાર માતાજીની શોભાયાત્રા નીકળે છે.
ઊંઝાનું ”શ્રી ઉમિયા માતા મંદિર” પૂર્ણ રૂપે મૂળ શક્તિનું આદ્યસ્થાન છે. આજે લાખો ભક્તો મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે .



Share:

No comments:

POPULAR