નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

સમાજ વિષે થોડું જાણો


પ્રસ્તાવના
     


શ્રી ઉમિયા માતાજી પ્રાગટ્ય મહોત્સવની ઈ.સ.૧૯૯૫માં સુરત ખાતે ભવ્ય ઉજવણી કર્યા બાદ  કડવા પાટીદાર સમાજમાં એક નવી ચેતનાનો સંચાર થયો છે. જોમ જુસ્સો અને ઉત્સાહ પ્રગટ્યો છે. સૌના મનમાં સમાજની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કંઈક કાર્ય કરવાની તમન્ના જાગી છે. મહોત્સવની સફળતાથી કુળદેવી મા ઉમિયા પ્રત્યેની શ્રદ્ધાં-ભાવના-આસ્થા દૃઢ અને પ્રબળ બની છે.

     આજની સમૃદ્ધિ અને પ્રગતિ માટે આવશ્યક છે એવા ‘શિક્ષણ’ને અગ્રતા આપવાનું સૌએ સ્વીકાર્યું. ખેતી અને ખેડૂતો માટે ઉપયોગી એવી ‘જળસંચય’ની પ્રવૃતિઓને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. સાથે સાથે આરોગ્યલક્ષી અને વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ, સ્વચ્છતા, પર્યાવરણ સુધારણા વિગેરે સમાજ ઉપયોગી કાર્યક્રમો કરવા વિચારાયું. ઉમા બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા સંસ્કાર સિંચન, વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કારી પ્રજા તથા સંસ્કારી સમાજના નિર્માણનો સંકલ્પ થયો. આ તમામ લક્ષ્યાંકો અને સંકલ્પો પરિપૂર્ણ કરવા માટે વિવિધ વર્ગના વ્યક્તિ વિશેષો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ ‘શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજના’ તૈયાર થઈ. સમાજના સર્વાંગી વિકાસ અને સમૃધ્ધિ માટે આ યોજના ખુબ ઉપયોગી બની રહેશે તેવું સૌને લાગ્યું. 

યોજનાના ઉદ્દેશો
શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજનાનો મુખ્ય ઉદેશ  કડવા પાટીદાર સમાજનો શૈક્ષણિક, સમાજીક, આધ્યાત્મિક અને ર્આિથક વિકાસ સાધી સમગ્ર સમાજમાં સંસ્કાર અને સમૃદ્ધિ દ્વારા સુખ અને શાંત પ્રાપ્ત કરવાનો છે. યોજનાના ઉદેશો આ મુજબ છે.

શૈક્ષણિક ઉદેશો
  • શૈક્ષણિક સંકુલોના નિર્માણ દ્વારા શૈક્ષણિક સવલત વધારવી, શિક્ષણને ગુણવતાયુક્ત બનાવવું.
  • વર્તમાન સમયને અનુરૂપ શિક્ષણનું વાતાવરણ નિર્માણ કરવું તથા આધુનિકરણ કરવું.
  • સંસ્કાર સિંચન સાથે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થાય તેવું શિક્ષણ આપવું.
  • હોશિયાર ગરીબ વિદ્યાર્થીઓને સહાયરૂપ બનવું.
  • કોમ્પ્યુંટર શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવી.
  • વ્યવસાયલક્ષી શિક્ષણ, તાલિમની વ્યવસ્થા કરવી.
સામાજિક ઉદેશોઃ-
  • સમાજ સંગઠન મજબૂત બનાવવું, સમાજિક એકતા દ્વારા સમાજ સમૃદ્ધિ લાવવી.
  • સુરત કક્ષાએ ‘વિવિધલક્ષી પાટીદાર સમાજિક કેન્દ્ર’ સ્થાપવા મદદરૂપ બનવું.
  • ‘વિવિધલક્ષી પાટીદાર સામાજિક કેન્દ્ર’માં બાલ સંસકાર કેન્દ્ર, સત્સંગ સભા, પુસ્તકાલય, નિદાન યજ્ઞ, વિશ્રાંતિ ગૃહ, વિવિધ સંમેલનો વિગેરે પ્રવૃતિઓ વિકસાવવી.
આરોગ્ય-પર્યાવરણલક્ષી ઉદેશોઃ-
  • સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવી, ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમો કરવા.
  • આરોગ્ય પ્રત્યે સભાનતા લાવવી, વ્યસનમુક્તિ કાર્યક્રમો, રક્તદાન યજ્ઞ, નિદાન યજ્ઞ યોજવા.
  • વૃક્ષારોપણ, જળસંચય વિવગેરે દ્વારા પર્યાવરણની સમતુલા જાળવવી.
યોજનાના લક્ષ્યાંકો
     વિદ્યાર્થીઓ માટે ની સુવિધા વધારવી, શૈક્ષણિક સંકુલો માં ભણતા કરવા .
  • શૈક્ષણિક સંકુલોમાં તથા તાલુકા મથકે કોમ્પ્યુટર શિક્ષણની સુવિધા.
  • પાટીદાર સમાજના ગામડાઓમાં ગ્રામીણ સ્વચ્છતા, વૃક્ષારોપણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો.
યોજનાનું વ્યવસ્થા તંત્ર
  • યોજનાના સંચાલન માટે સમિતિ/પેટા સમિતિઓની રચના.
  • સમગ્ર તાલુકા મથકોએ તથા મુખ્ય ગામોમાં મીટીંગ, ચર્ચા સભા, પ્રવાસ, મુલાકાત.
  • સંનિષ્ઠ અને સેવાભાવી કાર્યકરોની ટીમ દ્વારા સેવાનો ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર.
Share:

No comments:

POPULAR