નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

સમાજ ની સ્થાપના

સમાજ ની સ્થાપના
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત ની સ્થાપના
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ -સુરત શહેર "સંઘે શક્તિ કલિયુગે" (રજી.નં.ઈ-૧૪-૦૧-૧૯૯૫)



શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ સુરત શહેર ની વેબસાઈટ માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ એટલે સુરત શહેરમાં વસતા "...400... કુટુંબોનુ" એક જ વિશાળ પરિવાર. આ શ્રી અડતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ એટલે સૌને સાથે રાખી સૌ સભ્યોનો સર્વાંગી વિકાસ. આ સમાજની વિશિષ્ઠતા એ છે કે અન્ય કડવા પાટીદારો માટે આ " પ્રેરણા મૂર્તિ" છે. આ શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજની સ્થાપના ૧૪-૧-૧૯૯૫ માં સુરત શહેરમાં એક નાના બીજ સ્વરૂપે થઇ હતી, જે આજે એક વિશાળ વટ વૃક્ષ બની ગયું છે, જેની છત્ર-છાયામાં "....1000...." જેટલી જન સંખ્યા "હાશ" અનુભવી રહી છે. બદલાતા જતા સમયની સાથે તાલ મિલાવવા સમાજના દૂરંદેશી નેતૃત્વે "બીડું" ઝડપી એક વિશાળ, સોહામણું અને જાજરમાન "શ્રી અડતાલીસ કડવા પાટીદાર સંકુલ'' - સુરત નું નિર્માણ થયું. ભવ્ય સંકુલના નિર્માણમાં દિલદાર દાનવીરોનું "દાન" વિચક્ષણ નેતૃત્વની "અગમ-દ્રષ્ટિ" અને "હિંમત" સમાજના વિશાળ પરિવારનો "પ્રેમ" મિત્રો, સ્નેહીઓ અને હિતેચ્છુઓની "હૂંફ" અને વાત્સલ્યની મૂર્તિ મા ઉમિયાના "આશીર્વાદથી" અંધારી રાતે પણ અજવાળું થાય તેવી તમામ સુખ- સગવડ સાથેનું સોહામણું સંકુલ અસ્તિત્વમાં આવ્યું.

No comments:

POPULAR