નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

  • shree48kps 2

    શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ _સુરત

Umiya Mata Temple, Unja

સેવા

Umiya Mata Temple, Unja CLICK HARE




This is the Temple of Goddess Umiya, Kuldevi of Patidars. Shree Maa Umiya, the almighty mother Goddess of the universe is the kuldevi of the kadva patidar community. Maa Umiya has given birth to this universe as the mother Goddess. Maa Saraswati, Maa Lakshmi and Maa kali are her incarnations only. Whenever the dark devilish elements raised their heads, the deity has takenvarious forms and Swarups to demolish them and protect the good and religious.Wherever in the world there is Strength, there is the Maa Umiya as the source; she only is the giver of strength and divinity.

AUDIO GALLERY

Now Playing: Bij-Mantra.mp3

Share:

શ્રી ઉમિયા ધામ ...સુરત શહેર ની વેબસાઈટ જોવા માટે ક્લિક કરો

સેવા સમર્પણ સદભાવના
શ્રી ઉમિયા ધામ ...સુરત શહેર ની વેબસાઈટ જોવા માટે ક્લિક કરો


Umiya Mata is the deity worshipped by lakhs of Kadwa Patidars spread across the world. She is the the consort of the Mighty Shivashankar and the daughter of Parvatraj Dakhsa. She is the supreme power ‘Shakti’ and is also the mother of the Kartikeya and Ganesha.
The word Umiya is derived from the word Uma, meaning mother. She sits in the main temple of Unjha and is worshipped by her sons and daughters across Gujarat and World. She is worshipped in various forms, the most popular form is of “Parvati” and she is also known as Nav Chandi or Nav Durga due to the nine forms popularly worshipped.
Share:

જગતજનની ”મા ઉમિયા”નું પ્રાગટ્ય

સેવા સમર્પણ સદભાવના

જગતજનની ”મા ઉમિયા”નું પ્રાગટ્ય

ઊંઝા ગામે મંદિરમાં માતાની પૌરાણિક મૂર્તિ છે. કહેવાય છે કે મા ઉમિયા એ પાર્વતીનું જ સ્વરૂપ છે. અહીંયાં તેમને ‘કડવેશ્વરી ભગવતી ઉમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે .નંદી પર સવારી કરતા ”મા ઉમિયામાતા” કડવા પાટીદારની (પટેલોની) કુળદેવી પણ છે. દંતકથા પ્રમાણે જ્યારે શ્રી વિષ્ણુએ સતીના 52 ટુકડા કર્યા હતા અને એ ટુકડા (અંગ) જ્યાં જ્યાં પડયા ત્યાં શક્તિપીઠની રચના થઈ. દરેક શક્તિપીઠે ‘મા’ નું એક અંગ પૂજાય છે પણ અહીં ઊંઝા ગામે ”મા ઉમિયા” અખંડ સ્વરૂપે પ્રગટ થયા છે. લોકવાયકા પ્રમાણે એવું પણ કહે છે કે “મા ઉમિયા” મોલ્લોતોના જુના ઘરમાં પ્રાગટ્ય થયું હતું. મોલ્લોતોના ગોખમાં માતાજીનું જૂનું પ્રાચીન મંદિર છે. પછી અત્યારે જ્યાં મંદિર છે ત્યાં મોલ્લોતોમાંથી માતાજીની જ્યોત લાવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
જ્યાં શિવજી છે ત્યાં ઉમા છે અને જ્યાં ઉમા છે ત્યાં શિવજી છે. સૃષ્ટિનું પરમ સત્ય છે જ્યાં શિવજી છે ત્યાં કૈલાસ છે અને જ્યાં કૈલાસ છે ત્યાં માનસરોવરનું હોવું એક સુખદ સહયોગ છે . શ્રી ઉમિયામાતાના મંદિરના પ્રાંગણમાં પૂર્વસ્થાને આવેલા આધુનિક માનસરોવર ખૂબ જ સુંદર અને શાંત જગ્યા છે. અહીં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને માનસરોવરની મધ્યમાં નવગ્રહોની સુંદર શિલ્પકારી મૂર્તિઓ બિરાજેલી છે. આ મૂર્તિઓ પર ફુવારા વાટે માનસરોવરના શીતળ જળથી અભિષેક થતો રહે છે અને એ જળ છેક ગંગેશ્વર મહાદેવના મંદિર સુધી પહોંચે છે. માતાજીના પવિત્ર સ્થાનકે વિવિધ ઉત્સવો ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જેમ કે, બેસતું વર્ષ, માગસર સુદ આઠમે અન્નકૂટ ઉત્સવ, વસંત પંચમી, અને ખાસ કરીને નવરાત્રીના તહેવારો ખૂબ જ જોર શોરથી ઉજવાય છે. વૈશાખી પૂર્ણિમાનો દિવસ એ માતાજીના પ્રાગટ્યનો દિવસ છે એટલે મંદિરમાં હવન થાય છે અને ચાંદીના રથ પર સવાર માતાજીની શોભાયાત્રા નીકળે છે.
ઊંઝાનું ”શ્રી ઉમિયા માતા મંદિર” પૂર્ણ રૂપે મૂળ શક્તિનું આદ્યસ્થાન છે. આજે લાખો ભક્તો મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે .



Share:

સમાજ વિષે

સેવા સમર્પણ સદભાવના

સમાજ વિષે

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ એટલે સુરત શહેરમાં વસતા "૩૦૦ કુટુંબોનુ" એક જ વિશાળ પરિવાર. આ શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ એટલે સૌને સાથે રાખી સૌ સભ્યોનો સર્વાંગી વિકાસ. આ સમાજની વિશિષ્ઠતા એ છે કે અન્ય કડવા પાટીદારો માટે આ " પ્રેરણા મૂર્તિ" છે. આ સમાજની સ્થાપના ૧૯૯૫માં સુરતના બીજ સ્વરૂપે થઇ હતી, જે આજે એક વિશાળ વટ વૃક્ષ બની ગયું છે, જેની છત્ર-છાયામાં "૮૫૦" જેટલી જન સંખ્યા "હાશ" અનુભવી રહી છે.
બદલાતા જતા સમયની સાથે તાલ મિલાવવા સમાજના દૂરંદેશી નેતૃત્વે "બીડું" ઝડપી એક વિશાળ, સોહામણું અને જાજરમાન "પાટીદાર સંકુલનું" નિર્માણ થયું. ભવ્ય સંકુલના નિર્માણમાં દિલદાર દાનવીરોનું "દાન" વિચક્ષણ નેતૃત્વની "અગમ-દ્રષ્ટિ" અને "હિંમત" સમાજના વિશાળ પરિવારનો "પ્રેમ" મિત્રો, સ્નેહીઓ અને હિતેચ્છુઓની "હૂંફ" અને વાત્સલ્યની મૂર્તિ મા ઉમિયાના "આશીર્વાદથી" અંધારી રાતે પણ અજવાળું થાય તેવી તમામ સુખ- સગવડ સાથેનું સોહામણું સંકુલ અસ્તિત્વમાં આવ્યું.
આ વિશાળ સંકુલ લગ્ન ઇચ્છુકો માટે તેનો વિશાળ સમાજ"સ્વર્ગ સમાન" છે, મહિલા મંડળ દ્વારા સત્સંગ સભા માટે "આનંદ " સમાન છે, . સામાજિક મેળાવડાઓ માટે "પરમ-ધામ" સમાન છે. પરંતુ વાત્સલ્યની મૂર્તિ મા ઉમિયાનું દિવ્ય મંદિર-ઉમિયાધામ પણ આ સંકુલની શોભામાં વધારો કરતું હોઇ, આ સંકુલ તો સૌના માટે એક "તીર્થ" સમાન છે.
આ ભવ્ય સંકુલ તો અડતાલીસ કડવા પાટીદાર સમાજનું "પિયર" છે, જેમાં સમાજના લગ્નોચ્છુક દિકરા - દિકરીઓનાં સમૂહ લગ્ન નું આયોજન કરવા વિચારી રહ્યા છીએ , સમાજનું દર વર્ષે યોજાતું સ્નેહ મિલન, સમાજની સાધારણ સભા તથા શ્રી ઉમિયા માતાજીનો ઉત્સવ પણ ઉત્સાહથી દર વર્ષે આ ઉમિયાધામ સંકુલમાં જ ઉજવાય છે.
આ સમાજના દૂરંદેશી નેતૃત્વનો બીજો એક શુભ સંકલ્પ હતો કે પોતાના વતનમાંથી સુરત શહેરમાં ઉજ્જવળ ભવિષ્ય માટે, નોકરી, ધંધા કે ભણવા આવતા યુવાનો માટે“ જેમના માટે સુરત શહેરમાં કોઇ "આશ્રય" નથી તેના માટે તો આ સમાજ "આશ્રય-સ્થાન" છે, તેવી વિશાળ ભાવના સાથે સમાજના મોભી, પ્રમુખશ્રી અને દિલદાર દાનવીર પટેલસમાજ ની આગેવાની નીચે કાર્ય કરે છે સોનામાં સુગંધ ભળી. નજર લાગે તેવું આ "નજરાણું" સમાજને સમર્પિત થયું. આ વિશાળ યુવાવિકાસ માં અતિ-આધુનિક સુખ-સગવડો સાથે નવો સંકલ્પ છે .
શ્રી ઉમિયા માતાજી પ્રાગટ્ય મહોત્સવની ઈ.સ.૧૯૯૫માં સુરત ખાતે ભવ્ય ઉજવણી કર્યા બાદ  કડવા પાટીદાર સમાજમાં એક નવી ચેતનાનો સંચાર થયો છે. જોમ જુસ્સો અને ઉત્સાહ પ્રગટ્યો છે. સૌના મનમાં સમાજની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કંઈક કાર્ય કરવાની તમન્ના જાગી છે. મહોત્સવની સફળતાથી કુળદેવી મા ઉમિયા પ્રત્યેની શ્રદ્ધાં-ભાવના-આસ્થા દૃઢ અને પ્રબળ બની છે.

     આજની સમૃદ્ધિ અને પ્રગતિ માટે આવશ્યક છે એવા ‘શિક્ષણ’ને અગ્રતા આપવાનું સૌએ સ્વીકાર્યું. ખેતી અને ખેડૂતો માટે ઉપયોગી એવી ‘જળસંચય’ની પ્રવૃતિઓને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. સાથે સાથે આરોગ્યલક્ષી અને વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ, સ્વચ્છતા, પર્યાવરણ સુધારણા વિગેરે સમાજ ઉપયોગી કાર્યક્રમો કરવા વિચારાયું. ઉમા બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા સંસ્કાર સિંચન, વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કારી પ્રજા તથા સંસ્કારી સમાજના નિર્માણનો સંકલ્પ થયો. આ તમામ લક્ષ્યાંકો અને સંકલ્પો પરિપૂર્ણ કરવા માટે વિવિધ વર્ગના વ્યક્તિ વિશેષો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ ‘શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજના’ તૈયાર થઈ. સમાજના સર્વાંગી વિકાસ અને સમૃધ્ધિ માટે આ યોજના ખુબ ઉપયોગી બની રહેશે તેવું સૌને લાગ્યું. 

યોજનાના ઉદ્દેશો
શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજનાનો મુખ્ય ઉદેશ  કડવા પાટીદાર સમાજનો શૈક્ષણિક, સમાજીક, આધ્યાત્મિક અને ર્આિથક વિકાસ સાધી સમગ્ર સમાજમાં સંસ્કાર અને સમૃદ્ધિ દ્વારા સુખ અને શાંત પ્રાપ્ત કરવાનો છે. યોજનાના ઉદેશો આ મુજબ છે.

શૈક્ષણિક ઉદેશો
  • શૈક્ષણિક સંકુલોના નિર્માણ દ્વારા શૈક્ષણિક સવલત વધારવી, શિક્ષણને ગુણવતાયુક્ત બનાવવું.
  • વર્તમાન સમયને અનુરૂપ શિક્ષણનું વાતાવરણ નિર્માણ કરવું તથા આધુનિકરણ કરવું.
  • સંસ્કાર સિંચન સાથે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થાય તેવું શિક્ષણ આપવું.
  • હોશિયાર ગરીબ વિદ્યાર્થીઓને સહાયરૂપ બનવું.
  • કોમ્પ્યુંટર શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવી.
  • વ્યવસાયલક્ષી શિક્ષણ, તાલિમની વ્યવસ્થા કરવી.
સામાજિક ઉદેશોઃ-
  • સમાજ સંગઠન મજબૂત બનાવવું, સમાજિક એકતા દ્વારા સમાજ સમૃદ્ધિ લાવવી.
  • સુરત કક્ષાએ ‘વિવિધલક્ષી પાટીદાર સમાજિક કેન્દ્ર’ સ્થાપવા મદદરૂપ બનવું.
  • ‘વિવિધલક્ષી પાટીદાર સામાજિક કેન્દ્ર’માં બાલ સંસકાર કેન્દ્ર, સત્સંગ સભા, પુસ્તકાલય, નિદાન યજ્ઞ, વિશ્રાંતિ ગૃહ, વિવિધ સંમેલનો વિગેરે પ્રવૃતિઓ વિકસાવવી.
આરોગ્ય-પર્યાવરણલક્ષી ઉદેશોઃ-
  • સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવી, ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમો કરવા.
  • આરોગ્ય પ્રત્યે સભાનતા લાવવી, વ્યસનમુક્તિ કાર્યક્રમો, રક્તદાન યજ્ઞ, નિદાન યજ્ઞ યોજવા.
  • વૃક્ષારોપણ, જળસંચય વિવગેરે દ્વારા પર્યાવરણની સમતુલા જાળવવી.
યોજનાના લક્ષ્યાંકો
     વિદ્યાર્થીઓ માટે ની સુવિધા વધારવી, શૈક્ષણિક સંકુલો માં ભણતા કરવા .
  • શૈક્ષણિક સંકુલોમાં તથા તાલુકા મથકે કોમ્પ્યુટર શિક્ષણની સુવિધા.
  • પાટીદાર સમાજના ગામડાઓમાં ગ્રામીણ સ્વચ્છતા, વૃક્ષારોપણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો.
યોજનાનું વ્યવસ્થા તંત્ર
  • યોજનાના સંચાલન માટે સમિતિ/પેટા સમિતિઓની રચના.
  • સમગ્ર તાલુકા મથકોએ તથા મુખ્ય ગામોમાં મીટીંગ, ચર્ચા સભા, પ્રવાસ, મુલાકાત.
  • સંનિષ્ઠ અને સેવાભાવી કાર્યકરોની ટીમ દ્વારા સેવાનો ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર.
Share:

POPULAR